મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે : બાકીની 11 બેઠકો પર ઉમેદવારોને લઇ મનોમંથન હજી ચાલી રહ્યુ છે ..
- 11 Mar, 2024
લોકસભાની ચુંટણી ઘોષિત થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેઓ સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઇ રહ્યા . આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરવા જઇ રહ્યા છે. આ બેઠકમાં ગુજરાતમાં આવનાર ચુંટણીઓ માટે ઉમેદવારોના નામની સૂચિ તૈયાર કરવામાં આવશે.
આ બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાતની 11 બેઠક માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. નોધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 15 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે બાકીના 11 બેઠકો પર ઉમેદવારોને લઇ મનોમંથન હજી ચાલી રહ્યુ છે. દિલ્લીમાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં સાંજે બેઠકનું આયોજન છે. જેમાં ગુજરાતના બીજેપીના 11 ઉમેદવારોના નામ પર મ્હોર લાગી શકે છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને વધુને વધુ બેઠકો જીતીને મજબુત બનવાના પ્રયાસ થઇ રહ્યા છે. મતદારોને રીજવવા માટે જમીની સ્તર પર નેતાઓ ઉતર્યા છે.
બેઠક જીતી શકે તેવા ઉમેદવારોની શોધ પણ પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જમીની સ્તરે અને બુથ લેવલના કાર્યકરો અને વિવિધ સર્વે પક્ષો દ્વારા કરાવવામાં આવ્યા છે અને તેના આધારે લોકસભા બેઠક પર ઉમેદવારો નક્કી કરવામાં આવે છે.
ગુજરાતની વાત કરીએ તો ભાજપ આ વખતે પણ 26 બેઠકો જીતીશું તેવો દાવો કરે છે અને આ તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોના માર્જીનથી જીતવાની રણનિતિ પર કામ કરી રહ્યુ છે. ભાજપે 15 બેઠકોના ઉમેદવારની નામની યાદી જાહેર કરી દીધી છે તેમાં 5 ઉમેદવારો નવા છે જ્યારે 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.
ત્યારે બાકીના 11 બેઠક પર કયા ઉમેદવારને ઉતારવો તેને લઇને ગુજરાતના ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી મનોમંથન ચાલી રહ્યુ છે. મોવડીમંડળથી લઇને હાઇકમાન્ડ સુધી ઉમેદવારની પસંદગીના દરેક પાસા ચકાસવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે ત્યારે આ બેઠકમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોને લઇને ચર્ચા થશે.
બીજેપી દ્વારા ચુંટણીમાં જીતની રણનીતિ તૈયાર કરી દેવાઇ છે. કાર્યકરોને બૂથ લેવલ સુધી સક્રિય કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામો અને પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર ઘર ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. બીજેપીની યુવા પાંખ, સંગઠન અને વિવિધ મોરચા દ્વારા સરકારે કરેલી કામગીરી લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે.
ડિઝિટલ પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાતની લોકસભા બેઠકો બીજેપી માટે મહત્વની છે કેન્દ્રમાં 400 પ્લસ બેઠકો માટે રાજ્યની 26 બેઠકો જીતવી જરૂરી છે. રાજ્યમાં બીજેપીનું સંગઠન પણ મજબૂત છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરી રાજ્યમાં ચુંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ